રાજકોટ: શાંતિ-સલામતિ માટે 144 કલમ લાગુ થશે, તો ૪થી વધુ માણસો ભેગા થઇ નહી શકે.
સભા-સરઘસ કાઢવા ઉપર પણ પ્રતિબંધ ફરમાવતાં મનોજ અગ્રવાલઃ ૧-૧ થી ૨૯/૨ સુધી હુકમની અમલવારી
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/HAMVI-1024x1024-1.jpg)
રાજકોટ: શહેરમાં હાલની પરિસ્થિતિમાં આગામી દિવસોમાં જુદી-જુદી ધાર્મિક શોભાયાત્રાઓ, ધાર્મિક તહેવારો અને રેલીઓ-ધરણા યોજનાના કાર્યક્રમો હાલની આતંકવાદી ગતિવિધિ-પ્રવૃતિને લક્ષમાં લેતાં કોઇપણ પ્રકારે સુલેહ શાંતિ ભંગ ન થાય અને જાહેર સલામતિ તથા કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ૪ કરતાં વધુ માણસોના ભેગા થવા ઉપર તેમજ કોઇ સભા બોલાવવા, સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/IMG-20191205-WA0005-1024x1024.jpg)
આ માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક જાહેરનામુ બહાર પાડીને 144 કલમ લાગાવિ દેવામા આવી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/IMG-20191214-WA0002-1024x1024.jpg)
CP અગ્રવાલે જાહેરનામામાં જણાવ્યું છે કે ચાર કરતાં વધારે માણસોના ભેગા થવા પર અને સભા બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. . આ હુકમની અમલવારીનો સમયગાળો તા. ૧/૧ થી ૨૯/૨/૨૦૨૦ સુધીનો રહેશે. સરકારી ફરજ, કામગીરીમાં હોય તેવા વ્યકિતઓ તેમજ લગ્નના વરઘોડા, સ્મશાન યાત્રાને આ લાગુ પડશે નહિ. હુકમનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ (૩) મુજબ શિક્ષાત્મક પગલા લેવાશે. આ ઉપરાં ૧૮૮ મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/12/FACEBOOK-FRAME-UPVAN-1024x82-1.png)
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)