Placeholder canvas

સૌરાષ્ટ્રના 15 સહિત રાજ્યના 48 તાલુકા વિકાસ અધિકારીને અપાઈ નિમણૂક

ગુજરાત સરકાર દ્વારા તાલુકા વિકાસ અધિકારી વર્ગ-1 તરીકે ફરજ બજાવતાં સૌરાષ્ટ્રના 15 સહિત રાજ્યના 48 અધિકારીઓની નિમણૂકનો હુકમ કર્યો છે.

નિમણૂક પામેલા અધિકારીઓમાં હર્ષદીપ કિશોરભાઈ આચાર્યને મોરબીના હળવદ, બ્રિજેશ અતુલકુમાર કાલરિયાને જામકંડોરણા, ધાર્મિક વિનોદભાઈ ડોબરીયાને જામજોધપુર, ઈશિતા પ્રદીપકુમાર મેરને કાલાવડ, હિરલ બીપીનકુમાર દેસાઈને વલ્લભીપુર, સંજયકુમાર ચૌધરીને સુરેન્દ્રનગરના ચુડા, જયકુમાર કીર્તિભાઈ રાવલને કચ્છ, સુરજ નારાયણભાઈ સુથારને બોટાદ, દેવાંગ ગોવિંદભાઈ રાઠોડને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર, વિક્રમસિંહ જોરસંગભાઈ ભંડારીને અમરેલીના લીલીયા, વિકાસકુમાર દલજીભાઈ રતાડાને ભાવનગરના ઉમરાળા, પાર્થ હિરજીભાઈ તલસાણીયાને અમરેલીના લાઠી, પારસ ધારાભાઈ વંદાને જસદણ, કિશન બાલુભાઈ ગરસરને લખતર અને અવનીબેન અશોકભાઈ હરણને કોડીનાર ખાતે નિમણૂક આપવામાં આવે છે.

વાંકાનેર તાલુકા પંચાયતમા તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક આ વખતે પણ કરવામાં આવી નથી, આમ વાંકાનેર તાલુકા પંચાયત હજુ પણ ઇન્ચાર્જ ટીડીઓ દ્વારા વિકાસનું ગાડુ ધકાવવાનું રહેશે.

આ સમાચારને શેર કરો