Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ સોમવારે પણ બંધ રહેશે. શા માટે? જાણવા વાંચો…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં જન્માષ્ટમીનું મીની વેકેશન ચાલી રહ્યું છે જન્માષ્ટમીના તહેવારના લીધે લગભગ એક અઠવાડિયાથી માર્કેટિંગ યાર્ડમાં બંધ છે અને આગામી તારીખ 11/09/2023ને સોમવારથી માર્કેટિંગ યાર્ડ શરૂ થવાનું હતું પરંતુ હવે સોમવારથી માર્કેટિંગ યાર્ડ શરૂ નહીં થાય…!! માર્કેટિંગ યાર્ડમાં વધુ એક દિવસની રજા જાહેર થઈ છે…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આગામી તારીખ 11/09/2023ને સોમવાર યોજાવાની હોવાના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માર્કેટિંગ યાર્ડની એક દિવસની રજા વધારી દેવામાં આવી છે. હવે તારીખ 12/09/2023ને મંગળવારથી માર્કેટિંગ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ થશે.

આ પૂર્વે માર્કેટિંગ યાર્ડમાં રવિવારથી ઉત્તરાઇ શરૂ થવાની હતી અને સોમવારથી માર્કેટિંગ યાર્ડનું કામકાજ શરૂ થવાનું હતું જે હવે તારીખ 11/09/2023 ને સોમવારના સાંજના પાંચ વાગ્યા બાદ ઉતરાઇ કરવા દેવામાં આવશે એ પૂર્વે ઉતરાઇ કરવા દેવામાં આવશે નહીં અને મંગળવારથી માર્કેટિંગ યાર્ડની રાબેતા મુજબ કામગીરી શરૂ થશે તેવું એક અખબારીયાદીમાં માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો