મોરબી નજીક સીરામીક ફેકટરીમાં યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો
તેમની પત્નીને બિભત્સ ઈશારા કરનાર યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હતો
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
મોરબી : મોરબીના લખધીરપુર રોડ આવેલ સીરામીક ફેકટરીમાં ગઈકાલે છરીના ધા ઝીકીને શ્રમિકની હત્યા કરાયા બાદ પોલીસે આ હત્યાનના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જેમાં મૃતક શ્રમિકે તે જ કારખાનામાં કામ કરતી એક મહિલાને બીભત્સ ઈશારા કરતા ખુન્નસે ભરાયેલા એ મહિલાના પતિએ શ્રમિકને છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ પોલીસે આજે આરોપીને ઝડપી લીધો હતો.
મોરબીના લખધીર પુર રોડ ઉપર આવેલ રેડીયન્ટ સીરામીક કારખાનામાં રહીને કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રા (ઉ.વ.27)ની ગઈકાલે આ કારખાનાની ઓરડીમાંથી હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસની તપાસમાં આ શ્રમિકની પારકી પરણેતરને બીભત્સ ઈશારા કરવામાં હત્યા થઈ હોવાનો ચોકવનારો ઘટસ્ફોટ થયો હતો.
આથી મૃતકના સંબંધી નીરજ જવાહર પાંડેએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેજ સીરામીક કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની બારીવાલ કુશાલભાઈ ટુડુંની પત્નીને બે દિવસ પહેલા મૃતક જ્ઞાનેન્દ્ર હરવંશ મિશ્રાએ બીભત્સ ઈશારા કર્યા હતા. આથી મહિલાના પતિ બારીવાલ કુશાલભાઈ ટુડુંએ ક્રોધિત થઈને જ્ઞાનેન્દ્ર મિશ્રાને શાકભાજીની છાલ ઉતારવાના ચપ્પુથી ગળાના ભાગે મારીને હત્યા કરી નાખી હતી. આ બનાવને પગલે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)