Placeholder canvas

“આપ” હવે “આમ આદમી” માટે લડત શરૂ કરશે.

મોરબી : વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટી ફરી મેદાનમાં આવી છે, મોરબી ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની એક મહત્વની મિટીંગ મળી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પ્રજાના વિવિધ પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા લડત શરૂ કરવામાં આવશે.

તારીખ 23 જાન્યુઆરીના રોજ મોરબી ખાતે જિલ્લા હોદ્દેદારોની એક અગત્યની મિટીંગ મોરબી સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ અને ક્ચ્છ-મોરબી ઝોન પ્રભારી કૈલાશ દાન ગઢવીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ મિટિંગમાં મોરબી માળિયા વિધાનસભાના ઉમેદવાર પંકજભાઈ રાણસરિયા, ટંકારા-પડધરી ઉમેદવાર સંજય ભટાસણા સહિત જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટીંગમાં જનતાના બંધારણીય અધિકારો, ખેડૂતના પવનચક્કી સહિતના પ્રશ્નો, ઝૂલતાપુલ દુર્ઘટના અંગે સરકારના ખરાબ વલણની ચર્ચાઓ તેમજ ગૌચરની જમીનો પર થયેલા ગેરકાયદેસર દબાણ અંગે વિગતવાર ચર્ચાઓ કરી જનહિતમાં જરૂરી તમામ મુદ્દાઓ પર લડત શરૂ કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે. આ માટે ટૂંક જ સમયમાં જિલ્લાની નવી બોડીની રચના પણ કરવામાં આવશે તેવું નક્કી કરાયું છે

આ સમાચારને શેર કરો