skip to content

સિંધાવદરના ગત્રાળનગર પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો…

વાંકાનેર: આજે વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની ગત્રાળનગર પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો, તેમાં માજી સરપંચશ્રી ઇસ્માઇલભાઇ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.

શાળામાં નિવૃત થયા બાદ પણ 6 માસ માનદ સેવા આપનાર કનકલતાબેનને શાળા પરિવાર વતી મોમેંટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાંથી વિદાય લેતા બાળકોને ભવિષ્યમાં તેઓ પ્રગતિના ઉતરોતર સોપાન સર કરે તેવી શુભેચ્છા શાળા પરિવાર વતી આપવામાં આવી હતી.

આ સમાચારને શેર કરો