સૌરાષ્ટ્રના 45 કેદીઓ રાજકોટની સેન્ટ્રલ જેલમાં બોર્ડની પરીક્ષા આપશે !
રાજકોટ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.5 માર્ચથી પ્રારંભ થનારી ધો.10 અને 12 ની પરીક્ષાના આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર જિલ્લામાં આ પરીક્ષા શાંતિ પૂર્ણ વાતાવરણમાં લેવાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાયએ કમ્મરકસી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે સૌ પ્રથમવાર આ પરીક્ષામાં પેપર ટ્રેકીંગ સીસ્ટમનો ઉપયોગ કરનાર છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/IMG-20200201-WA0002-1-971x1024.jpg)
જે સંદર્ભે પેપર કેન્દ્રો પર પહોંચાડનાર અને કેન્દ્ર પરથી પેપર લઈ જનારા રૂટ અધિકારીઓને ફરજિયાત પેપર ટ્રેકીંગ સીસ્ટમની એપ્લીકેશનનો ઉપયોગ કરવો પડશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/JIGAR-9X9-CM-1024x1024.jpg)
તેમજ રાજકોટની સેન્ટ્રલ જેલમાં સૌરાષ્ટ્રની વિવિધ જેલોના 45 જેટલા કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે જેમાં ધો.10 ના 30 અને ધો.12ના 15 કેદીઓનો સમાવેશ થાય છે. જેલમાં આ પરીક્ષા માટે કોચીંગ કલાસ ચલાવી કેદીઓને શિક્ષણ આપવામાં આવ્યા બાદ હવે આ પરીક્ષા માટે સ્ટાફ પણ ફાળવી દેવામાં આવેલ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/02/20200121_193925.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)