Placeholder canvas

આજે મોરબીમાં 12 અને વાંકાનેરમાં 1 કોરોના કેસ નોંધાયા અને 15 દર્દી સાજા થયા

જિલ્લાના કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 450એ પહોંચી

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાના આજે 13 પોઝીટીવ કેસો નોંધાયા છે. જેમાં મોરબીમાં બાર અને વાંકાનેરમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ આજે 15 દર્દીઓ સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 450એ પહોંચ્યો છે.જેમાંથી અત્યાર સુધીમાં 263 દર્દીઓ સાજા થઈ ગયા છે. જ્યારે 34 દર્દીઓના મોત નીપજ્યા છે અને હાલ 153 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

આજે સાજા થયેલા દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે તેમાં મોરબીના 14થી અને મારિયાના એક દર્દીને રજા આપવામાં આવી છે આમ આજે મોરબી જિલ્લામાં કુલ ૧૫ દર્દી સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો