ધો. 6થી 8ના વિધાર્થીઓ માટે આજથી સ્કૂલ ચાલુ
રાજ્યભરમાં ધોરણ 9થી 12ની શાળાઓ શરૂ કર્યા બાદ હવે 18 ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ની શાળાઓ પણ શરૂ કરવા સરકારે મંજૂરી આપી દીધી છે અને નક્કી કરેલી ગાઈડલાઈન પ્રમાણે જિલ્લાની દરેક શાળાઓમાં વિદ્યાર્થી પાસેથી વાલીનું સંમતિ પત્ર મગાવવામાં આવી રહ્યું છે. સંમતિ પત્ર હશે તે જ વિદ્યાર્થીને શાળામાં પ્રવેશ અપાશે.