Placeholder canvas

વાંકાનેર: માર્કેટયાર્ડ આગામી તા.૨૪થી૩૧ માર્ચ સુધી બંધ

વાંકાનેર : માર્ચ એન્ડિંગના કારણે તા.૨૪થી ૩૧ માર્ચ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જેથી ખેડૂતોએ રજાના દિવસોમાં યાર્ડમાં જણસી ન લાવવા અનુરોધ કરાયો છે.

હિસાબી વર્ષ ૨૦૨૦–૨૧ ના માર્ચ એન્ડિંગના હિસાબો સંદર્ભે સમગ્ર ગુજરાતમાં માર્ચ મહીનાના આખરી અઠવાડીયામાં વિવિધ માર્કેટીંગ યાર્ડો બંધ હોય છે. વાંકાનેર માર્કેટયાર્ડ માંથી વેપારીનો માલ ઉંઝા, રાજકોટ, ગોંડલ જેવા મોટા યાર્ડમાં જતો હોવાથી, ઉપરોકત યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાઓ હાંઈ વાંકાનેર માર્કેટયાર્ડ પણ તા.૨૪-૩-૨૦૧૧ થી તા. ૩૧-૩-૨૦૨૧ બંધ રહેશે જો કે તા.૩૧માં રોજ માલની ઉતરાઈ શરુ કરવામાં અાવશે. અને તા.૧-૪-૦૨૧ થી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલું થશે જેથી રજાના દિવસોમાં ખેડૂતભાઈઓએ વાંકાનેર માર્કેટયાર્ડ ખાતે માલ ન લાવવા યાર્ડના ચેરમેન શકીલ અહેમદ કે. પીરઝાદાની યાદીમાં જણાવાયું છે.

આ સમાચારને શેર કરો