Placeholder canvas

વાંકાનેર: જુના મનદુઃખ મામલે મારમારી : 4 ઘાયલ

વાંકાનેર : વાંકાંનેરના મહીકા ઢાળ પાસે જુના મનદુઃખ મામલે મારમારી થયાનો બનાવ સામે આવ્યો છે. જેમાં ચાર વ્યક્તિને ઇજા થઇ હતી. આ બનાવ અંગે ચાર શખ્સો સામે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી દીલીપભાઇ વલ્લભભાઇ સોલંકી (ઉ.વ.૪૫, ધંધો-વેપાર, રહે.ચોટીલા, થાન ચોકડી, હનુમાનજીના મંદીરની સામે, જગુભાઇ ધાંધલના મકાનમાં ચોટીલા જી.સુરેન્દ્રનગર) એ આરોપીઓ નીતાબેન વીજયભાઇ (રહે. ચોટીલા, ભીમગઢના રસ્તે, આવાસમાં બ્લોક નં.૩) નીતાબેનનો દિકરો ક્રીશ, દાબેલી વાળાનો દિકરો કરીમ (રહે. ચોટીલા), કરીમનો મીત્ર), સુરેશ (રહે. ચોટીલા) સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૧૯ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં વાંકાનેરના મહીકા ઢાળ પાસે આરોપીએ ફરીયાદીને ચોટીલા ખાતે અગાઉ થયેલ મારામારીનુ મનદુખ રાખી ફરીયાદી તથા સાહેદ હંસાબેન તથા સુષ્ટીબેન તથા ભુમીકાબેન સાથે ઝપાઝપી, મારામારી કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી

હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો