Placeholder canvas

મોરબી જીલ્લાની પ્રાથમિક શાળાઓમાં વધુ બે દિવસ રજા જાહેર કરવામાં આવી

મોરબી જીલ્લામાં વાવાઝોડાને ધ્યાને લઈને જીલ્લા કલેકટર અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓએ બપોર બાદ બજાર બંધ રાખવા અપીલ કરી હતી જેને પગલે બપોર બાદ મોરબી અને વાંકાનેરની મુખ્ય બજારો બંધ જોવા મળી હતી

તો શાળાઓમાં અગાઉ રજા જાહેર કરવામાં આવી હતી જોકે હજુ પણ સ્થિતિ જોખમી હોવાથી વધુ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ પ્રાથમિક શાળાના આચાર્યને સુચના આપી જણાવ્યું છે કે વાવાઝોડાની સંભવિત અસરને અનુલક્ષીને વિદ્યાર્થીઓની સલામતી માટે અગાઉ ૧૪ અને ૧૫ જુનના રોજ શાળામાં રજા જહર કરવામાં આવી હતી જોકે હજુ પણ સ્થિતિને ધ્યાને રાખીને જીલ્લાની તમામ પ્રાથમિક શાળામાં તા. ૧૬ અને ૧૭ જુનના રોજ રજા જાહેર કરવામાં આવે છે જેથી બે દિવસ વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા નહિ

તે ઉપરાંત શાળાના આચાર્ય અને તમામ શિક્ષકોને હેડ ક્વાર્ટર પર ફરજીયાત હાજરી આપવાની રહેશે અને વહીવટી તંત્ર સાથે સંકલન કરીને કામગીરી કરવાની રહેશે સમયગાળા દરમિયાન કોઈપણ કર્મચારીની રજા મંજુર કરવાની રહેશે નહિ તેમ જણાવ્યું છે

આ સમાચારને શેર કરો