વાંકાનેરમાં જલારામ બાપાની મૂર્તિનો હાથ કાપી નંખાતા ભાવિકોમાં રોષ
આવારા તત્વએ મહંત રામકિશોરદાસજી મહારાજની મૂર્તિનો અંગુઠો પણ કાપી નાખ્યો
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/10/IMG-20191023-WA0012-1024x662.jpg)
વાંકાનેર : વાંકાનેરમાં જલારામ જયંતીના એક દિવસ પૂર્વે જ જલારામ બાપાની મૂર્તિનો હાથ કાપી નાખતા ભાવિકો રોષે ભરાયા છે. જો કે મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ઍ શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/10/IMG-20191009-WA0006-1024x1022.jpg)
વાંકાનેરમાં જડેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ સંત જલારામ બાપાના મંદિરમાં આજે સવારે જલારામ બાપાની મૂર્તિનો ડાબો હાથ આરોપી પ્રકાશ વાઢેર નામના શખ્સે કાપી નાંખતા ભાવિકોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ શખ્સે જલારામ બાપાની મૂર્તિની સાથોસાથ મહંત રામકિશોરદાસજી મહારાજની મૂર્તિનો અંગુઠો પણ કાપી નાખ્યો હતો. એક મંદિરમાં એકી સાથે બે-બે મૂર્તિને ખંડિત કરતાં ભાવિકોમાં રોષ ફેલાયો હતો અને આ અંગે ધાર્મિક લાગણી દુભાવનાર આરોપી વિરુદ્ધ ફળેશ્વર મહાદેવ મંદિર સેવા સમિતિ એ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં પોલીસે આરોપી વિરુદ્ધ કલમ ૨૯૫ અને ૪૨૭ મુજબ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરેલ છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2019/10/PicsArt_12-09-09.22.53-1024x926-1024x926-1-1024x926-1024x926-1024x926.jpg)
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)