skip to content

વાંકાનેર: રાતદેવડી ગામે ત્રણ દિવસથી લાપતા થયેલા યુવાનનો મૃતદેહ મળ્યો.

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે ત્રણ દિવસ પહેલા ઘેરથી કહ્યા વગર ચાલ્યા ગયેલા યુવાનનો આજે કુવામાંથી મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે રહેતા અભયભાઈ પ્રેમજીભાઈ વોરા નામનો યુવાન ત્રણ દિવસ પહેલા ઘેરથી કહ્યા વગર ચાલ્યો જતા પરિવારજનો દ્વારા પોલીસ મથકે લેખિત અરજી કરી ગુમસુધા નોંધ કરાવવામાં આવી હતી. દરમિયાન આજે મોરબી ફાયર બ્રિગેડને રાતીદેવડી ગામે 70 ફૂટ ઊંડા કૂવામાં યુવાનની લાશ હોવાનો કોલ આવતા ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમતથી મૃતદેહ બહાર કાઢ્યો હતો અને મૃતક યુવાન અભયભાઈ વોરા હોવાનું બહાર આવ્યું હતું.

આ સમાચારને શેર કરો