Placeholder canvas

વાંકાનેર: વલાસણમાં તરૂણીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

By શાહરૂખ ચૌહાણ – વાંકાનેર
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામમાં તરૂણીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યોનો બનાવ સામે આવ્યો છે.

આ બનાવની મળેલી માહિતી મુજબ મૂળ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મોદા દહિપુરાની વતની, હાલ વાંકાનેરના વાલાસણ ગામમાં અબ્દુલભાઇ હુશેનભાઇ સિપાઇની વાડીએ રહેતી 14 વર્ષીય પીન્કીબેન જોરુઉદારભાઇ રાઠવા એ ગઇકાલે કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ લેતા તેનું મૃત્યુ થયું હતું. આ બનાવની નોંધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કરી પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો