Placeholder canvas

મોરબીમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા:એકનું મોત

મોરબી : મોરબી શહેરમાં કોરોના હવે રીતસરની મહામારી ફેલાવી રહ્યું છે. આજે મોરબી શહેરમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ બન્ને કેસ મોરબીના નવા ડેલા રોડ પર ઘાંચી શેરીમાં અને પારેખ શેરીમાં નોંધાયા છે. જ્યારે આજે જાહેર થયેલા નવા ડેલા રોડ પર ઘાંચી શેરીના કોરોના પોઝિટિવ વૃદ્ધાનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંકડો 139 એ પહોંચ્યો છે. અને મૃત્યુનો આંકડો 8 થઈ ગયો છે.

મોરબી શહેરમાં છેલ્લા પંદર દિવસ કરતા વધુ સમયથી કોરોનાના કેસો ઉતરોતર વધી રહ્યા છે. કેટલાક સમયથી દરરોજ કોરોનાના કેસો નોંધાઇ રહ્યા છે. આજે બુધવારે મોરબી શહેરમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ જાહેર થયા છે. જેમાં મોરબીની પારેખ શેરીમાં રહેતા પ્રતાપભાઈ જેચંદભાઈ પાટડીયા ઉ.વ.63 નામના વૃદ્ધનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

જ્યારે મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ઘાંચી શેરીમાં રહેતા મેમુનાબેન મહંમદભાઈ મકવાણા ઉ.વ.63 નામના વૃદ્ધાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જોકે તેમનું આજે રાજકોટમાં સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળે છે. આ સાથે કોરોનાથી મોતનો આંકડો 8 એ પહોંચ્યો છે અને મોરબી જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંકડો 139 પર પહોંચ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો