Placeholder canvas

વાંકાનેર: અમરનાથ સોસાયટીના પિતા-પુત્રને હોસ્પિટલમાંથી રજા અપાઈ અને પત્નીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

વાંકાનેર : મોરબી જિલ્લામાં કોરોના કેસમાં છેલ્લા અઠવાડિયામાં જોરદાર ઉછાળો આવ્યો છે. આજે વાંકાનેરમાં વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેમાં વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા પિતા-પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેઓ કાલે સ્વસ્થ થઇ જતા રજા અપાઈ છે. પરંતુ આજે તેમના પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

આરોગ્ય તંત્ર પાસેથી જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા પ્રવિણસિંહ રાયજાદા (ઉ.વ. 65) અને તેમના પુત્ર હરપાલસિંહ રાયજાદા (ઉ.વ.40)નો કોરોના સામેની જંગ જીતી છે. પરંતુ પ્રવિણસિંહના પત્ની ઉર્મિલાબા રાયજાદા (ઉ.વ. 55)નો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ રાયઝાદા પરિવારના બે સદસ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી બંને દર્દીઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા અને તેમના પરિવારના અન્ય સભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા. પરંતુ ગઇકાલે તેઓને તાવ-શરદી સહિતના કોરોનાના લક્ષણ દેખાતા તેઓને રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓના સેમ્પલ લેવામાં આવતા તેઓનો આજે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ રાજકોટ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IAdJp1mIanLFXSf4tkE8n9

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો