Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે કુલ 11 કેસ નોંધાયા: એક દર્દીનું મૃત્યુ

જ્યારે આજે 11 લોકો કોરોનામાંથી સ્વસ્થ થતા રજા અપાઈ

મોરબી જિલ્લામાં આજે પણ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. જેમાં આજે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ 11 નવા કેસ નોંધાયા છે.જેમાં મોરબીમાં 6, વાંકાનેરમાં 4 અને ટંકારાના 1 કેસનો સમાવેશ થાય છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 558 થયા છે. જ્યારે વાંકાનેરના એક કોરોના ગ્રસ્ત દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ સાથે મોરબી જિલ્લાના કોરોનાનો કુલ મૃત્યુઆંક 37 થયો છે. આજ સુધીના કુલ 558 કેસમાંથી 345 કેસ રિકવર થયા છે અને 176 કેસ એક્ટિવ રહ્યા છે.

આ સમાચારને શેર કરો