મોરબી જિલ્લામાં આજે કુલ 11 કેસ નોંધાયા: એક દર્દીનું મૃત્યુ
જ્યારે આજે 11 લોકો કોરોનામાંથી સ્વસ્થ થતા રજા અપાઈ
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/08/IMG-20200703-WA0006-1024x589-1.jpg)
મોરબી જિલ્લામાં આજે પણ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. જેમાં આજે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ 11 નવા કેસ નોંધાયા છે.જેમાં મોરબીમાં 6, વાંકાનેરમાં 4 અને ટંકારાના 1 કેસનો સમાવેશ થાય છે. આ સાથે મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસ 558 થયા છે. જ્યારે વાંકાનેરના એક કોરોના ગ્રસ્ત દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ સાથે મોરબી જિલ્લાના કોરોનાનો કુલ મૃત્યુઆંક 37 થયો છે. આજ સુધીના કુલ 558 કેસમાંથી 345 કેસ રિકવર થયા છે અને 176 કેસ એક્ટિવ રહ્યા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/08/advt-gif.gif)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)