કાલે સૂર્યગ્રહણ : 38 વર્ષ બાદ આકાશમાં જોવા મળશે અદભૂત નઝારો
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0007-1024x1024.jpg)
આવતીકાલ તા.21મીના રવિવારે સવારે 10 વાગ્યાથી આકાશમાં કંકણાકૃતિ ખંડગ્રાસ ગ્રહણનો અદભૂત નઝારો જોવા મળશે. કાલે કંકણાકૃતિ સૂર્યગ્રહણનો પ્રારંભ સવારે 10:03 વાગ્યાથી થશે. ગ્રહણ મઘ્યમાં બપોરે 11:42 કલાકે આવશે તથા બપોરે 1:33 કલાકે ગ્રહણ મોક્ષ થશે. 11:42 કલાકે સૂર્યનો 75 ટકા ભાગ ઢંકાઇ જશે. ત્યારબાદ ક્રમશ: મૂળ સ્થિતિ પ્રાપ્ત કરશે. દુનિયાભરનાં લોકોમાં અવકાશી ઘટના નિહાળવાની જબરી ઉત્કંઠા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200610-WA0002.jpg)
કંકણાકૃતિ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી ધાર્મિક ટ્રસ્ટીએ પાળવાનું રહે છે. આજે રાત્રે 10:14 વાગ્યાથી રવિવારના બપોરે ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી સુતક રહેશે. 2020 બાદ 2139માં 30 દિવસમાં ત્રણ ગ્રહણનો યોગ બનશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/05/IMG-20200531-WA0002-1024x1024.jpg)
રવિવારે સવારે વર્ષનું પહેલું અને છેલ્લુ સૂર્યગ્રહણ થશે. જે ભારતમાં જોવા મળશે. સવારે 10:14 વાગ્યાથી સૂર્યગ્રહણ શરૂ થશે. તેનું સૂતક શનિવારે રાતે 10:14 વાગ્યાથી શરૂ થશે. સૂતક સમયે પૂજા પાઠ કરવા જોઇએ નહી. આ સમયે માત્ર મંત્રનો જાણ કરી શકો છો. ઉજ્જૈનના જયોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે ગ્રહણ સવારે 10:14 વાગ્ગાથી બપોરે 1:38 વાગ્યા સુધી રહેશે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/05/IMG-20200531-WA0004-1024x1019.jpg)
ગ્રહણનું સૂતક 12 કલાક પહેલા શરૂ થઇ જાય છે અને ગ્રહણ પૂર્ણ થયા સુધી રહેશે. ગ્રહણ પૂર્ણ થયા બાદ પૂજા-પાઠ કરી શકાશે. આ પહેલા 5 જૂને ચંદ્રગ્રહણ થયું હતું. 21 જૂને સૂર્યગ્રહણ છે અને 5 જુલાઇએ ફરીથી ચંદ્રગ્રહણ થશે. 5 જૂન અને 5 જુલાઇના ચંદ્રગ્રહણનું ધાર્મિક મહત્વ નથી. કેમ કે આ મંદગ્રહણ છે. આ ગ્રહણમાં ચંદ્રની આગળ માત્ર ધૂળ જેવો પડછાયો આવી જાય છે. આ પ્રકારે 30 દિવસમાં ત્રણ ગ્રહણનો દુર્લભ યોગ હવે 119 વર્ષ બાદ બનશે. વર્ષ 2139માં 11-12 જુલાઇની રાતે ચંદ્રગ્રહણ, 25-26 જુલાઇએ સૂર્યગ્રહણ અને ત્યારબાદ 9-10 ઓગષ્ટે ચંદ્રગ્રહણ થશે. તે સમયે પણ આ ચંદ્રગ્રહણનું ધાર્મિક મહત્વ રહેશે નહી.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/IMG-20200616-WA0008-1020x1024.jpg)
2020 પહેલા શનિના મકર રાશિમાં વક્રી રહીને આવા ત્રણ ગ્રહણ 1962માં થયા હતાં. 58 વર્ષ પહેલા 17 જુલાઇએ ચંદ્રગ્રહણ અને 15-16 ઓગષ્ટે મઘ્ય રાત્રીએ ચંદ્રગ્રહણ થયું હતું. તે વર્ષમાં પણ ચંદ્રગ્રહણની ધાર્મિક માન્યતા હતી નહી. 1962માં ભારત-ચીન વચ્ચે યુઘ્ધ થયું હતું. થોડા દિવસો બાદ 1 સપ્ટેમ્બર 1962એ ઇરાનમાં ભારે ભૂકંપ આવી ગયો હતો. 2020માં પણ આવુ જ ગ્રહણ થઇ રહ્યું છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/06/20200328_131229_copy_432x393.jpg)
છેલ્લા કેટલાક દિવસોથી દેશના વિવિધ ભાગમાં સતત ભૂકંપના ઝટકા આવી રહ્યા છે અને હજુ પણ તેનો ખતરો સંભવ છે. આ ગ્રહણ ભારત સિવાય એશિયા, આફ્રિકા અને યૂરોપનાં થોડા ક્ષેત્રમાં જોવા મળશે. દરેક જગ્યાએ ગ્રહણનો સમય અલગ-અલગ રહેશે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)