Placeholder canvas

વાંકાનેર: ગાયત્રી મંદિર ખાતે રવિવારે એક દિવસીય યુવા ઉત્કર્ષ શિબિરનું આયોજન

વાંકાનેર : આગામી રવિવારે ગાયત્રી મંદિર ખાતે એક દિવસીયા યુવા ઉત્કર્ષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરનો મુખ્ય હેતુ યુવાનો અને યુવતીઓમાં છુપાયેલી શક્તિને જાગૃત કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી અને સંસ્કારી અને નિર વ્યસની યુવાનોથી સુશોભિત સમાજ નિર્માણનો છે.

આ શિબિરમાં 15 થી 45 વર્ષ સુધીના દરેક યુવાન / યુવતીઓ કોઈ પણ ચાર્જ વગર તદન નિશુલ્ક માં ભાગ લઈ શકશે… પરંતુ ભાગ લેવા ઇચ્છુકોએ રજીસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત છે. રજીસ્ટ્રેશન તારીખ 23/12/2022 ને શુક્રવારે સાંજે 6:00 વાગ્યા સુધી થશે..

રજીસ્ટ્રેશન માટે આપની સ્કૂલના આચાર્યનો અથવા નીચે આપેલ ગાયત્રી પરિવારના સભ્યોનો સંપર્ક કરવો…
રાહુલ જોબનપુત્રા 9265066096
રસિકભાઈ પંડ્યા 9879019488
ઇલાબેન સચાણીયા 7990643667

-: યુવા ઉત્કર્ષ શિબિર :-
તારીખ:- 25/12/2022, વાર:- રવિવાર
સમય:- સવારે 09:30 થી સાંજે 04:00 સુઘી ( બપોરનું ભોજન મંદીરે જ રહેશે )
સ્થળ:- ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર.

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો. https://chat.whatsapp.com/IiYY0gtWUQN54htYl4MTfr

આ સમાચારને શેર કરો