વાંકાનેર: સીંધાવદરના અગ્રણી યુસુફભાઈ શેરસિયાએ કોરોના વેકશીન લીધુ
તમામ લોકોએ સમયસર કોરોના વેક્સિન લઈ લેવાની અપીલ
વાંકાનેર : આજે સિંધાવદર ગામના રાજકીય અગ્રણી અને મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઇ શેરસીયા તેમના પત્ની સાથે સિંધાવાદર phc ખાતે જઈને કોરોના વેકશીન લીધું હતું.
આ સમયે યુસુફભાઈ શેરસિયાએ વાંકાનેરના તમામ લોકોને અપીલ કરી હતી કે કોરોના થી બચવા માટે તમામ લોકોએ કોરોનાનું વેકેશીન સમયસર લઈ લેવું તેમજ સોશિયલ મીડિયામાં કે અન્ય રીતે ચાલતી કોઈ પણ અફવામાં ન આવવુ. આપ અને આપનો પરિવાર કોરોનાથી સલામત રહેવા માટે સમગ્ર પરિવારે વેકશીન લઈ લેવું.