Placeholder canvas

વાંકાનેર: લાલપર ગામે વીજતારને સ્પર્શી જતા રાજાવડલાના યુવકનું મોત

વાંકાનેર: લાલપર ગામે કલરકામ કરતા શ્રમિકનું વીજતારને સ્પર્શી જતા વીજ શોક લાગતાં મોત થયાની ઘટના સામે આવી છે. વાંકાનેર સીટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના રાજાવડલામાં રહેતો ૨૩ વર્ષીય યુવક મોઇન જાકીરહુશેનભાઇ ડંડીયા લાલપરમાં આવેલ જીવનધારા કોટન જીન ખાતે કલરકામ કરતો હતો. એ વેળાએ અકસ્માતે વીજતારને સ્પર્શી જતાં તેને વીજશોક લાગ્યો હતો. જેથી મોઇનને ખાનગી હોપિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગેની જાણ વાંકાનેર સીટી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો