skip to content

મોરબી: બોરીયા પાટી પાસે કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત.

મોરબી શહેરમાં બોરીયા પાટી પાસે આવેલ કેનાલમાં ડૂબી જતાં યુવકનું મોત થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

બનાવની મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકામાં સરતાનપર રોડ પર આવેલા બોલ્સ્શેન કારખાનામાં રહેતા ૩૯ વર્ષીય શાન્તુલાલ લાલરામ મિણા ગત તારીખ ૧૨ ના રોજ કેનાલ રોડ નજીક બોરીયા પાટી પાસે આવેલ કેનાલમાં અગમ્યકારણોસર પડી ગયા હતાં અને પાણીમાં ડુબી જતા તેમનું મોત નીપજ્યું હતું. જેને પગલે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.આ અંગેની જાણ મોરબી સીટી એ ડીવીઝન પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો