વાંકાનેરમાં માતાના મૃત્યુના આઘાતમાં યુવકનો ગળેફાંસો ખાઈ આપઘાત
વાંકાનેર : વાંકાનેર શહેરમાં પેડક સોસાયટીમાં રહેતો યુવાન છેલ્લા દોઢેક વર્ષથી ડિપ્રેશનમા આવી જતા દવા ચાલુ હોય જેમાં પંદર દિવસ પહેલા માતાનું મૃત્યુ નિપજતા યુવક વધુ ડિપ્રેશનમાં આવી જતા ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી મચી જવા પામી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમા પેડક સોસાયટીમાં રહેતા નિક્કીરાજસિંહ પ્રદ્યુમ્નસિંહ ઝાલા ઉ.32 નામનો યુવક દોઢેક વર્ષથી ડિપ્રેશનમાં આવી ગયો હોવાથી દવા ચાલી રહી હતી. જેમાં પંદર દિવસ પહેલા નિક્કીરાજસિંહના માતાનું મૃત્યુ નિપજતા વધુ ડિપ્રેશનમા આવી જઈ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.

