Placeholder canvas

સાયલામાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા

સુરન્દ્રનગરના સાયલામાં આવેલી વાડીની ઓરડીમાં યુવાનની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવી હતી.તેમના શરીરે છરીના ચારેક ઘા ના નિશાન હતા.હાલ યુવકની લાશને ફોરન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવી છે.હત્યા પાછળનું કારણ જાણવા આરોપીને ઝડપી લેવા તજવીજ આદરી છે.

બનાવની વિગતો અનુસાર,વીંછીયાંના નાના માત્રામાં રહેતા અને સાયલામાં ગંગાજનમાં આવેલી રણજિતભાઈ ધાંધલની વાડીએ ભાગિયું રાખી ખેતમજૂરી કરતા ઉમેશભાઈ હકાભાઈ બાભણીયા (કોળી) (ઉ.વ.22) ની ઓરડીમાંથી લોહીથી લથબથ હાલતમાં લાશ પડી હતી અને તેમના શરીરે છરીના ઘા ઝીંક્યા હોવાના નિશાન પણ હતાં.આ અંગે સાયલા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો.

પિતાના જણાવ્યા મુજબ,ઉમેશ બેભાઈ એક બહેનમાં વચેટ અને ખેતમજૂરી કરતો હતો.સાયલામાં અમે જે ખેતી કરવા વાડી રાખી છે ત્યાં બે અલગ અલગ મકાન આવ્યા છે ત્યાં એકમાં હું અને બીજામાં ઉમેશ રહેતો હતો.તે સવારે વહેલો ઉઠી કામે લાગી જતો હતો જેથી તે વહેલો ન ઉઠતા હું તેની ઓરડીમાં તપાસ કરવા જતાં તેની લોહી વાળી લાશ પડી હતી.આ અંગે વાડી માલીકને જાણ કરતા તેઓએ પોલીસને જાણ કરતા ઘટનાસ્થળે પોલીસ પહોંચી ગઈ હતી.હત્યા પાછળનું કારણ જાણવા અને આરોપીની શોધખોળ આદરી છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/Hea3lUaDgoHJgBVJxkGk8K

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો