શુક્રવારે યોગી આદિત્યનાથ વાંકાનેરમાં : સવારે 9:30 વાગ્યે જાહેરસભા…
વાંકાનેરમાં ભાજપના ઉમેદવાર જીતુ સોમાણીના સમર્થનમાં યુપી ના CM સભા ગજાવશે
વાંકાનેર : ગુજરાતમાં પ્રથમ તબક્કામાં આગામી તા.1 ડિસેમ્બરના ચૂંટણી થશે.પ્રથમ તબક્કામાં તમામ બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ અને આપ એડી ચોટીનું ચોર લગાવી… જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. આવા સમયે આગામી તા.18ને શુક્રવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વાંકાનેર ખાતે જાહેર સભા સંબોધન કરશે.
વાંકાનેર બેઠક કોંગ્રેસના ગઢ સમાન છે, અહીં છેલ્લી ત્રણ ટર્મથી કોંગ્રેસના જાવીદ પીરઝાદા ચૂંટાય આવેલ છે. આવી વાંકાનેર બેઠક ઉપર ભાજપે ઉમેદવાર તરીકે જીતુ સોમાણીને મેદાનમાં ઉતારી આ બેઠક જીતવા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આગામી તા.18ના રોજ સવારે 9.30 કલાકે વાંકાનેરના રાતીદેવડી રોડ ઉપર કિરણ સીરામીક ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.