Placeholder canvas

રાજકોટ: પાંચાણી ફાઉન્ડેશનના યોગેશ પાંચાણીની ભાજપ વ્યાપાર સેલનાં  પ્રમુખ તરીકે વરણી…

રાજકોટ:સૌરાષ્ટ્રના જાણીતા યુવા ઉદ્યોગપતિ અને અનેકવિધ સેવાકીય સંસ્થાઓ શ્રીજી ગૌશાળાએનીમલ હેલ્પલાઈનસદભાવના વૃધ્ધાશ્રમગુફેશ્વર મહાદેવ ગૌશાળાઅસ્મીતા ફાઉન્ડેશનમેપ ગ્રુપ સહીતની સંસ્થાઓ સાથે તનમનધનથી જોડાયેલા પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી (પટેલ) ની ભાજપ વ્યાપાર સેલ (રાજકોટના પ્રમુખ) તરીકે વરણી કરાઈ છે. બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંસ્કારોથી સિંચીત યોગેશભાઈ કોટનના ઉદ્યોગપતિ છે. અત્યાર સુધીમાં ૧૦ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર અને તેના ઉછેરમાં નિમિત બનેલા દાનવીર યોગેશભાઈ ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર્તા તરીકે પણ સેવા આપે છે.

તેઓ દરરોજ કિડીયારું પુરવુમાછલીઓને લોટની ગોળી નાંખવીગાયોને ઘાસ નાંખવુંકબૂતરોને ચણ નાંખવુ સહિતની જીવદયા પ્રવૃતિઓ માટે અચુક પણે રોજના ૩ કલાક ફાળવતા યોગેશભાઈ કોરોનાની બિમારીને લઈને રાજકોટ શહેરની ભાગોળે બનાવવામાં આવેલાસદભાવના વૃધ્ધાશ્રમ સંચાલીત હંગામી સ્મશાન (વાગુદળ)માં પણ પોતાના જાનના જોખમે અને ચેપનો ડર રાખ્યા વગર સતત હાજર રહેલા અને અનેકો મૃતદેહોની ગરીમાપૂર્ણ અંતિમવિધીમાંસંચાલનમાં નિમીત બન્યા હતાં.

તેઓ યુ.એસ.એ.માં યોજાતા ચાલો ગુજરાત‘–આયના સંસ્થાના એકઝીકયુટીવ કમિટીના સભ્ય તરીકે યોગેશભાઈ કાર્યરત છે. શબ્દોને લાગણીમાં ઝબોળી એક અનોખું ભાવજગતસદભાવ જગત ખડું કરવાની તેમજ મિત્રો કમાવાની અને મિત્રતા સાચવવાની આવડત એ યોગેશ પાંચાણીના આગવા વ્યકિતત્વનું જમા પાસું છે. હાલમાં પણ પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્રારા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા ગરીબો અને જરૂરીયાતમંદોને મદદ કરવા માટે ઘણી જ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાંથી એક આયુષ્યમાન ભારત યોજના છે જે હવે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના– મુખ્યમંત્રી યોજના તરીકે ઓળખાય છે. આ યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવેજેના દ્વારા જેની પાસે આયુષ્યમાન કાર્ડ હોય તેવી વ્યકિત પસંદગીની હોસ્પીલોમાં ૫ લાખ રૂપીયા સુધીની મફત સારવાર મેળવી શકે છે. ઘણી વખત દર્દીનારાયણ અને દરીદ્ નારાયણ પાસે આયુષ્યમાન કાર્ડની માહિતી નથી હોતી અથવા માહિતી હોય તો તેઓ કાર્ડ કાઢવાની ફી ચૂકવી શકતા નથી આ માટે પાંચાણી ફાઉન્ડેશનના માધ્યમથી યોગેશભાઈ પાંચાણી દ્રારા આયુષ્યમાન કાર્ડ‘ નિઃશુલ્ક કાઢી આપવામાં આવે છે.

રાજનીતી નહી પણ રાષ્ટ્ર નિતીમાં માનતાં સાહિત્ય પ્રેમી અને કલામર્મજ્ઞ યોગેશભાઈ પાંચાણી (પટેલ)ને ભાજપ વ્યાપાર સેલ (રાજકોટનાં  પ્રમુખ) તરીકે વરણી થવા બદલ તેમના બહોળા મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકો દ્વારા અભિનંદનની વર્ષા થઈ રહી છે. યોગેશભાઈ પાંચાણી (પટેલ) મો.૯૮૨૪૨ ૧૨૪૮૦

આ સમાચારને શેર કરો