વાંકાનેર: કારખાનના કન્વેનેટર બેલ્ટમા આવી જતાં શ્રમિકનું મોત
વાંકાનેર તાલુકામાં આઇકા સીરામીકના કારખાનમાં કામ કરતી વેળાએ કન્વેનેટર બેલ્ટમા આવી જતાં શ્રમિકનું મોત થયાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળેલી માહિતી મુજબ માટેલ રોડ પર આવેલા આઇકા સીરામીકના કારખાનમાં ૨૧ વર્ષીય શ્રમિક મનિષભાઇ કાલીયાભાઇ ગરવાન કામ કરી રહ્યો હતો. એ સમયે અચાનક તે કન્વેનેટર બેલ્ટમા ફસાઈ ગયો હતો. અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને પગલે તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. આ અંગેની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.