વાંકાનેર: રાતીદેવળી ગામે ઝેરી દવા પીતા પરિણીતાનું મૃત્યુ
વાંકાનેરના રાતીદેવડી ગામે અલીભાઇની વાડીએ રહીને ખેતમજૂરી કરતા રેખાબેન બાબુભાઇ સીંગાડા ઉ.25 નામના પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ વાંકાનેર બાદ બેભાન હાલતમાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.