Placeholder canvas

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા.25 માર્ચ થી 31 માર્ચ સુધી બંધ રહેશે…

વાંકાનેર : વર્ષનો છેલ્લો મહિનો માર્ચ ચાલી રહ્યો છે, ત્યારે આખા વર્ષના હિસાબ કિતાબો પૂરા કરીને ચોખા કરવાના હોય છે એ માટે દર વર્ષે માર્કેટિંગ યાર્ડમાં એકાદા અઠવાડિયાની રજા રહેતી હોય છે એ મુજબ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા.25 માર્ચ થી 31 માર્ચ સુધી બંધ રહેશે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે તા. ૨૫/૩/૨૦૨૪ ને સોમવાર થી તા. ૩૧/૩/૨૦૨૪ ને રવીવાર સુધી માર્ચ એન્ડીંગ રજા હોવાથી માર્કેટ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે જેની દરેક વેપારીભાઈઓ અને દલાલભાઈઓ (કમીશન એજન્ટ)અને ખેડુતભાઈઓને તેમજ સંબંધકર્તાસાએ નોંધ લેવી.

આ સમાચારને શેર કરો