Placeholder canvas

નરેશ પટેલનું આજે કોકડું ઉકેલાશે? કાગવડથી કરશે જાહેરાત

રાજકોટ: ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં લગભગ તો નહિ જ આવે તે હવે સામે આવી ગયુ છે. ત્યારે આજે તેઓ વિધિવત રીત રાજકારણમાં ન જોડાવાની જાહેરાત કરશે. ખોડલધામ કાગવડમાં ટ્રસ્ટીઓ સાથે નરેશ પટેલ બંધબારણે બેઠક કરશે. જેના પાદ તેઓ પત્રકાર પરિષદમાં પોતાનો રાજકીય નિર્ણય જાહેર કરશે. આ જાહેરાત એટલા માટે ખાસ બની રહેશે કે, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ નરેશ પટેલની PC માં જોડાશે તેવી અગાઉ જાહેરાત કરાઈ હતી, પરંતુ આજે સામે આવેલી માહિતી મુજબ પ્રશાંત કિશોર વરચ્યુઅલી પણ નહિ જોડાય.

રાજનીતિના PK વર્ચ્યુઅલી નરેશ પટેલની પત્રકાર પરિષદમાં જોડાશે તેવી ગઈકાલે વાત હતી. પરંતુ આજે સમીકરણો બદલાઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે, નરેશ પટેલ રાજકારણમાં પ્રવેશ માટે PK ની સલાહ લેતા હતા. નરેશ પટેલ પ્રશાંત કિશોરને પોતાના મિત્ર ગણાવી ચૂક્યા છે. પ્રશાંત કિશોરે કહ્યું હતું કે, કોંગ્રેસ ડૂબતી નાવ છે. ત્યારે નરેશ પટેલના રાજકારણમાં નહિ જોડાવા પાછળ પણ શું પીકેનું ભેજુ છે?

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો