મોરબીમાં વગવાળા લોકો સુધી કમિશનરના હાથ કેમ નથી પહોચતા? કે.ડી.બાવરવાની મુખ્યમંત્રી સમક્ષ રાવ…

મોરબી: સરકારી જમીનો માં થયેલા ગેરકાયદે બાંધકામોનું ડીમોલીશન મોરબી માં કેમ થતું નથી? આવા તત્વો સામે કાયદેસરના પગલા કયારે લેવાશે? આવી રાવ ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસન ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રી સમક્ષ કરી છે.

તેઓએ જણાવ્યું છે કે મોરબીને કોર્પોરેશન જાહેર કર્યાં પછી મોરબીના નવા કમીશનર દ્વારા જુદા જુદા રોડ પર થયેલા દબાણો દુરકરવાની કામગીરી દર અઠવાડિયે દર બુધવારે થઇ રહી છે. જે કાર્ય ખુબજ સરાહનીય છે, આવું થવું ખુબજ જરૂરી હતું જે થઇ રહ્યું છે. પરંતુ તેમાં પણ અમુક બાંધકામોને શા માટે બાકાત રાખવામાં આવે છે? શું વગવાળા લોકો સુધી કમિશનરના હાથ નથી પહોચતા?

મોરબીમાં ઘણી જગ્યાએ સરકરી જમીનો પર પણ ગેર કાયદેસર બાંધકામો થયેલ છે. જેવા કે સિંચાઈ ખાતાની જમીન ઉપર. માર્ગ અને મકાન (PWD) સ્ટેટ અને પંચાયત ખાતાની જમીન ઉપર, નેશનલ હાઇવેની જમીન ઉપર , રેવેન્યુ ખાતાની જમીન ઉપર, પરંતુ આ લોકો સામે કોઈ અગમ્ય કારણોસર કોઈ કાર્યવાહી થતી નથી. શા માટે? શું? સિંચાઈ ખાતાના અધિકારોને કોઈનું દબાણ છે? કે તેઓના હાથ ખરડાયેલા છે? શું? P.W.D. . ખાતા ના અધિકારી પર પણ કોઈનું દબાણ છે.? કે તેઓને પણ પ્રસાદ મળે છે? આવું જ રેવન્યુ ખાતાનું પણ છે. આવી બાબતે કોઈ એક્શન કેમ નથી લેવાતા ?

ઘણી જગ્યોઓ એ લેન્ડ ગ્રેબિંગના કેસો થતા હોય છે. પરંતુ આવા લોકો સામે લેન્ડ ગ્રેબિંગના કેશો શા માટે નથી થતા? કલેકટર શું. કરે છે? શા માટે તેઓ કોઈ એક્શન લેતા નથી? તેઓ ચુપ કેમ છે.?

શું આવી આરીતે મોરબીનો વિકાસ થશે? શું મોરબી માં માથા ભારે તત્વોનું રાજ ચાલે છે? કે જેથી અધિકારી ઓ ચુપ છે. ?તો અમારી માંગણી છે કે આવા બાંધકામની વહેલામાં વેહલી તપાસ કરી તેઓનું ડીમોલીશન કરવામાં આવે.

શું તંત્ર સરકારી જમીન પર બાંધકામ થઇ જાય અને તેનું વેચાણ પણ થઇ જય તો પણ અજાણ કેવી રીતે હોય શકે? અમુક જગ્યા ઓ એ તો આવા બાંધકામનું વેચાણ ના થતા ભાડે આપવામાં આવેલ છે. તેવું લોકો કહી રહ્યા છે. તો આ બાબતે મોરબીના સ્થાનિક લગત દરેક અધિકારી ઓને આપ દ્વારા આદેશ કરવામાં આવે કે આવા બાંધકામો સામે તાત્કાલિક ડીમોલીશનની કામગીરી કરવામાં આવે અને સરકારી જમીનો ખાલી કરવવામાં આવે.જો આવું નહી થાય તો સ્થાનિક લોકો ના છુટકે અંદોલનના માર્ગે જશે તો આ બાબતે વહેલા સર યોગ્ય કરવા મુખ્યમંત્રીને વીંનતી કરેલ છે.

આ સમાચારને શેર કરો