Placeholder canvas

જે હાજીઓને 20મી જુને હજજ માટે જવાનું છે તેઓએ અમદાવાદમાં કયા રસ્તેથી જવું? તે જાણવા વાંચો…

આગામી તા.20 મી જુને અષાઢી બીજ હોય અને અમદાવાદમાં અષાઢી બીજના રોજ રથયાત્રા નીકળતી હોય છે. જેમના લીધે ઘણા બધા રસ્તાઓ બંધ કરીને ડાયવર્ટ કરવામાં આવ્યા હોય છે. જેથી આ દિવસે જે હાજીઓને હજ પડવા માટે નીકળવાનું હોય અને અમદાવાદ એરપોર્ટ જવાનું હોય તેઓએ નીચે બતાવેલા રસ્તા પરથી જ જવું જેથી કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે તેમજ નિર્ધારિત સમયથી પહેલા નીકળવું કેમ કે કેટલાક રસ્તાઓ ડાયવર્ટ કરવાથી નીચે જે રસ્તા બતાવેલા છે તેમાં ટ્રાફિક થઈ શકે છે.

રૂટ-1 —- સાઉથ ગુજરાત નેશનલ હાઈવે તથા એક્સપ્રેસ હાઇવે તરફથી આવતા હાજીઓ એ સી.ટી.એમ. થી નારોલ થઈ વિશાલા સર્કલ પહોંચવું

રૂટ-2 —- સૌરાષ્ટ્ર તથા કાઠિયાવાડથી આવતા હાજીઓએ સનાથલ સર્કલ થી જુહાપુરા થઈ વિશાલા સર્કલ પહોંચવું

વિશાલા સર્કલ થી 132 ફુટ રીંગ રોડ થી આર.ટી.ઓ.સર્કલ પહોંચવું.
આર.ટી.ઓ સર્કલ થી સુભાષબ્રીજ થઈ શાહીબાગ અંડરબ્રીજ થઈને એરપોર્ટ તરફ જવુ….

🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷

આ મેસેજને વધુમાં વધુ શેર કરીને…..તા.20/06/2023ના હજજ પડવા જનાર હાજી સુધી પહોંચાડો જેથી તેઓ વહેલાસર નીકળી અને સમયસર અમદાવાદ એરપોર્ટ પહોંચી શકે, તેમને કોઈ મુશ્કેલી ન નડે…
આ સમાચારને શેર કરો