Placeholder canvas

વાંકાનેર: BRC ભવનમાં પ્રજ્ઞા શિક્ષકોની વિદ્યા પ્રવેશ વિષય પર તાલીમ યોજાઇ

વાંકાનેર: BRC ભવન વાંકાનેર ખાતે બે દિવસીય શિક્ષણ વિભાગની ગાઈડ લાઈન મુજબ પ્રજ્ઞા શિક્ષકોની વિદ્યા પ્રવેશ વિષય પર તાલીમ ગોઠવવામાં આવી હતી. જેમાં BRC કોઓર્ડીનેટર મયુરસિંહ પરમાર દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમથી આવનારા દિવસોમાં વાંકાનેરના શિક્ષણને ખુબ સારો વેગ મળશે અને ખાસ કરી નિપુણ ભારત અંતર્ગત FLN કાર્યક્રમમાં પણ ખુબ સારી સફળતા મળશે. સાથે સાથે પ્રજ્ઞા શિક્ષકો દ્વારા મયુરસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજવામાં આવેલ. તાલીમમાં વાંકાનેર રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના અધ્યક્ષ અશોકભાઈ, વાંકાનેર તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ યુવરાજસિંહભાઈ તેમજ તાલુકા શિક્ષણાધિકારી વોરાની હાજરી સાથે સહયોગ મળ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૌશિકભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/La4en7grq3dF22mVuLveiN
આ સમાચારને શેર કરો