Placeholder canvas

વાંકાનેર: કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં 5 ટકા GST યથાવત રાખવાની માંગ

કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં 5 ટકા GST યથાવત રાખવા વાંકાનેર એસોસિએશનની માંગ

વાંકાનેર: કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં આગામી તારીખ 1જાન્યુઆરીથી 5 ટકાના બદલે 12 ટકા જીએસટી રેટ લેવાનું નક્કી કરાયું છે. જે ખૂબ જ વધારે છે. કાપડ અને રેડીમેડ ગારમેન્ટ જીવન અને મૃત્યુ બંનેમાં આવશ્યક વસ્તુ છે. જે ગરીબ, અમીર અને મધ્યમ વર્ગ તમામને લાગુ પડે છે. તેથી આ જીએસટી દરનો વાંકાનેર એસોસિએશન સખત વિરોધ કરી કાપડ અને રેડીમેડ ગારમેન્ટમાં જીએસટી દર 5% યથાવત રાખવા એસોસિએશનના પ્રમુખ હિતેશભાઈ હેરમાએ એસોસિએશન વતી રજૂઆત કરી છે.

આ સમાચારને શેર કરો