Placeholder canvas

વાંકાનેર-લજાઈ રોડની બિસ્માર હાલતમાં’ નવો બનાવવાની માંગ

વાંકાનેર : વાંકાનેરથી લજાઈનો રોડ બિસ્માર હાલતમાં હોય, જેને તાકીદે રીપેર કરાવવા વાંકાનેર તાલુકા કિસાન કોંગ્રેસના પ્રમુખ ફારૂકભાઈ કડીવાર દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે આ રોડ કોઠારીયા, તિથવા, રાતી દેવડી, પંચાસરને જોડતો હોય અહીંનાં ખેડૂતો માર્કેટ યાર્ડમાં ખેતીલક્ષી કામ માટે અવારનવાર વાંકાનેર આવતા હોય તેઓને હાલાકી પડી રહી છે. આ રોડ ઉપર જોખમી ખાડાના કારણે વાહન ચાલકોના જીવ જોખમાઇ રહ્યા છે. જેથી આ રોડ તાત્કાલિક નવો બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

આ સમાચારને શેર કરો