Placeholder canvas

વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા વોર્ડ 1અને2નો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજ્યો.

વાંકાનેર નગરપાલિકા ને ટર્મ પુરી થઈ જતા નગરપાલિકામાં વહીવટદાર તરીકે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશ સરૈયાની નિમણૂક કરવામાં આવી છે. ગિરિશ સરૈયાએ ચાર્જ લેતા લોકોની ફરિયાદ સાંભળવા તેમને આંગણે જવાનો નિર્ણય કરીને તેનો કાર્યક્રમ પણ જાહેર કર્યો હતો.

જેમની અનુસંધાને વાંકાનેરમાં ફરિયદ નિવારણ કાર્યક્રમની શરૂઆત વોર્ડ નંબર 1 અને 2 થી કરવામાં આવી હતી જેમાં લોકોની 23 ફરિયાદો મળી હતી જેમાંથી 10 ફરિયાદનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લોકોએ પણ તેમની ફરિયાદ સાંભળવા આવનાર અધિકારીને ખૂબ જ સારો સહકાર અને પ્રેમ આપ્યો હતો.

વાંકાનેરના વોર્ડ નંબર 1 અને 2 ના લોકો ગિરીશ સરવૈયાની આ કામગીરીથી ખૂબ ખુશ થયાક છે અને આવી કામગીરી કાયમ માટે ચાલુ રહે તેવી લોકોએ ઇચ્છા વ્યક્ત કરી છે.

આ સમાચારને શેર કરો