Placeholder canvas

વાંકાનેર બાઉન્ડ્રી નજીક દાઝી ગયેલ આધેડનું રાજકોટ સારવારમાં મોત

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ૪૬ વર્ષના આધેડને જીવતા સળગાવી દીધાના આરોપ વચ્ચે આધેડને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર બાદ મોત થયું હતું જે બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

રાજકોટની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા રાજેશભાઈ પરષોતમભાઈ ભીમાણી (ઉ.વ.૪૬) નામના આધેડ દાઝી જતા રાજકોટ સારવાર માટે ખસેડાયા હતા જે ભોગ બનનાર આધેડે એક સ્ત્રીએ તેને સળગાવી દીધાનો આક્ષેપ કર્યો હતો જોકે પોલીસે તપાસ ચલાવતા આધેડના સગા પાસેથી જાણવા મળ્યું હતું કે તેઓ માનસિક રીતે અસ્થિર હોય અને તેના પત્ની ગુજરી ગયા હોવાથી એકલવાયું જીવન જીવતા હતા

ગત શનિવારે સારવાર માટે ખસેડ્યા બાદ આજે આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું જેથી વાંકાનેર પોલીસ ટીમના વનરાજસિંહ સહિતની ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ ચલાવી છે મૃતકને કોઈએ જીવતા સળગાવ્યા છે કે અન્ય કાઈ તે દીશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો