Placeholder canvas

વાંકાનેર : દુકાન બંધ કરવાનું કહી વેપારી પર હુમલો

વાંકાનેર : વાંકાનેરમાં જુના મનદુઃખ મામલે ચાર શખ્સોએ દુકાન બંધ કરવાનું કહીને વેપારી અને તેમની સાથેના વ્યક્તિઓ પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવ અંગે વેપારીએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાકાનેર સીટી સ્ટેશન રોડ મહાવીર જીન સામે રહેતા મુર્તુજાભાઇ મુસ્તનસીર હાથી ઉ.વ ૩૬ નામના વેપારીએ સતુભા જગુભા દરબાર તથા મયુરસિહ દરબાર રહે વઘાસીયા તા-વાકાનેર તથા તેની સાથેના બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ગઈકાલે તા.૨ ના રોજ સીટી સ્ટેશન રોડ બુરહાની હાર્ડ્વેરની દુકાન સામે રોડ ઉપર બનેલા આ બનાવમાં

ફરીયાદીના મોટા બાપૂના દીકરા ભાઇ મનસુરભાઇ વિરૂધ્ધ આ આરોપી સતુભાએ વાકાનેર કોર્ટમાં નેગોશીયેબલ મુજબનો કેશ કર્યો હોઇ જે કેશ કોર્ટમાં ચાલુ હોવાથી આ બાબતનું મનદુ:ખ રાખી આરોપીઓ ફરીયાદીની દુકાનનુ કામ ચાલુ હોઇ ત્યા દુકાન પાસે આવી કામ બંધ કરી તેમ કહી ફરીયાદીને ગાળો આપીને બેઝબોલના ધોકાવતી તથા પાવડાના ધોકા વતી ફરીયાદીને માર મારી બન્ને પગમાં મુઢ ઇજાઓ કરી હતી જોકે સાહેદો વચ્ચે પડતા તેઓને પણ આઓપીઓએ ધોકા વતી માર મારી શરીરે નાની-મોટી મુઢ ઇજાઓ કરી ફરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ સમાચારને શેર કરો