Placeholder canvas

વાંકાનેર: માર્કેટિંગ યાર્ડમાં જન્માષ્ટમીની છ દિવસની રજા

વાંકાનેર આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે માર્કેટિંગ યાર્ડમાં છ દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટ્રી ચૌધરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે તા. 4/9/2023 થી તા. 9/9/2023 સુધી રજા રહેશે, જ્યારે તા.10/9/2023 ના રોજ જણસીની ઉતરાય કરવા દેવામાં આવશે.

આમ તારીખ 4 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર સુધી છ દિવસની અને 10મી સપ્ટેમ્બર રવિવાર હોય એટલે 7 દિવસની રજા રહેશે પરંતુ 10મી સપ્ટેમ્બર રવિવારે જણસીની ઉતરાય કરાવવામાં આવશે. જ્યારે યાર્ડનું વિધિવત કામકાજ તારીખ 11/9/2023 ને સોમવારથી શરૂ થશે. જેમની લાગતા વળતા સૌએ નોંધ લેવી.

રાજકોટ માર્કેટિંગ યાર્ડ

જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાંતા.૦૨/૦૯/૨૦૨૩ શનિવાર સવારના ૮.૦૦ વાગ્યા થી ૦૯/૦૯/૨૦૨૩શનિવાર સુધી જન્માષ્ટમી તહેવાર નિમિતે તમામ જણસી ની આવક સંપૂર્ણ પણે બંધ કરવામાં આવેલ છે,તેમજ તા.૧૦/૦૯/૨૦૨૩ રવિવાર સવારે ૮.૦૦ વાગ્યા થી રેગ્યુલર રાબેતા મુજબ (૨૪ કલાક) તમામ જણસીની આવક આવવા દેવામાં આવશે,જેની સંબંધકર્તા સર્વેએ ખાસ નોંધ લેવી.

આ સમાચારને શેર કરો