વાંકાનેર: માર્કેટિંગ યાર્ડમાં બે દિવસની રજા, મંગળ, બુધ રહેશે બંધ.
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ આગામી મંગળવાર અને બુધવારે ઇદની રજાના કારણે બંધ રહેશે.
મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસ બાદ આવતો તહેવાર એટલે કે ઈદ આગામી તારીખ ત્રીજી મે અને મંગળવારના રોજ મનાવવામાં આવશે. જેમના કારણે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં મંગળવાર અને બુધવાર આમ બે દિવસની રજા રહેશે અને ગુરુવારથી માર્કેટીંગ યાર્ડની કામગીરી રાબેતા મુજબ શરૂ થશે.
યાર્ડની આ રજાની નોંધ લઇને એ મુજબ ખેડૂત ભાઈઓએ પોતાનો માલ વેચવા માટે યાર્ડમાં લઈને જવું, ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે ખેડુતભાઈએ આ રજાની ખાસ નોંધ લેવાનું એક અખબારી યાદીમાં યાર્ડના સેક્રેટરી ચૌધરી જણાવેલ છે.