Placeholder canvas

વાંકાનેર: રાજાવડલા નાલા પાસે ટ્રેન હડફેટે આવી જતા આધેડનું મોત

આ આધેડના વાલી વારસનો પતો ન મળતો હોય જો કોઈને કોઈપણ પ્રકારની જાણકારી હોય તો વાંકાનેર શહેર પોલીસને જાણ કરવી…

વાંકાનેર: રાજાવડલાના રોડ પર આવેલ રેલવે નાલા પાસે ગઇ કાલે તા. 21ના રોજ એક અજાણ્યા આશરે 55 થી 60 વર્ષના આધેડ રેલવેના પાટા ઉપર આવી જતા કપાઈ ગયેલ છે. તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મરનારે સફેદ કલરનો બ્લુ લાઇન વાળો આખી બાયનો શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેઓનો વાન ઘઉંવર્ણો છે, તેમનું શરીર જોતા ડાબા હાથના અંગુઠાની બાજુ ની પ્રથમ આંગળી વેઠા પાસેથી કપાયેલી છે. છાતી તથા પેટના ભાગે કાળો તલ છે. તેમજ ડાબા પગે પેની પાસે જૂનું વાગેલાનું નિશાન છે. મરનારના પેન્ટના ખિસ્સામાંથી વિમલ ગુટકાની પડીકી અને શિવાજી બીડી મળી આવેલ છે.

ઉપરોક્ત વર્ણનવાળા વ્યક્તિની લાશની હજુ ઓળખ થઇ શકી નથી જેથી કોઈ ગુમ થયેલી વ્યક્તિ અથવા તો ઘરેથી નીકળી ગયેલી વ્યક્તિની જો કોઈ પાસે ઉપરોક્ત વર્ણનવાળી વ્યક્તિની માહિતી કે જાણકારી હોય તો વાંકાનેર શહેર પોલીસ મથકનો સંપર્ક કરીને માહિતી આપવા પોલીસે એક યાદીમાં જણાવેલ છે. વાંકાનેર શહેર પોલીસ સ્ટેશન ફોન.નં.02828 220556, અથવા ASI મણીલાલ રામજીભાઈ ગામેતી મો.98249 41576

આ સમાચારને શેર કરો