Placeholder canvas

વાંકાનેર: ૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા હવે શારદા વિદ્યાલયને બદલે ગર્લ્સ સ્કૂલમાં લેવાશે

વાંકાનેર: મોરબી જિલ્લામાં આગામી તારીખ ૫મી માર્ચથી ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષાઓ શરૂ થનાર છે. આ પરીક્ષા માટે વાંકાનેર કેન્દ્રમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે કુલ ચાર પરીક્ષા બિલ્ડીંગ ફાળવેલ છે જેમાંથી એક પરીક્ષા બિલ્ડીંગમાં ફેરફાર કરવામાં આવેલ છે. જેમની ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અને વાલીઓએ નોંધ લેવી…

વાંકાનેર કેન્દ્રમાં ૧૨ સામાન્ય પ્રવાહની શારદા વિદ્યાલય બિલ્ડિંગમાં જે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની થતી હતી તેઓએ હવે ફેરફાર થતા ગર્લ્સ સ્કુલ સ્ટેચ્યુ ખાતે પરીક્ષા આપવાની રહેશે. આમ શારદા વિદ્યાલય માં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા હવે લેવાશે નહીં તેમની બદલે ગર્લ્સ સ્કૂલ ખાતે લેવામાં આવશે.

આ ફેરફાર માત્ર ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે જ છે, આ બાબતે જો કોઈ પણ માહિતી કે પ્રશ્ન થાય તો ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાના મોરબી જિલ્લાના ઝોનલ અધિકારી જે. યુ. મેરજાનો મોબાઇલ નંબર 99257 74623 પર સંપર્ક કરવો.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો