Placeholder canvas

વાંકાનેર: મતદાન જાગૃતિ અંતર્ગત ચિત્રો,સૂત્રો સાથે રેલી કાઢવામાં આવી…

વાંકાનેર: લોકશાહી પર્વ લોકસભા ચૂંટણી 2024 માટે 67 વાંકાનેરના મતદાન જાગૃતિ અંતર્ગત શ્રી કે કે શાહ માધ્યમિક વિદ્યાલયના 100 ભાઈઓ ,શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની 80 જેટલી બહેનો દ્વારા મામલતદાર કાનાણીની પ્રેરક ઉપસ્થિતિમાં મતદાન લોકશાહી પર્વ માટે 67 વાંકાનેરના મતદાન જાગૃતિ અંતર્ગત પ્રધાન આચાર્ય નિલેશભાઈ ધોકિયા દર્શનાબેન જાની અને આચાર્ય ભાઈઓ બહેનો તેમજ મામલદાર કચેરીના જુવાનસિંહભાઈ ખેરની હાજરી માં મતદાન જાગૃતિ ના ચિત્રો, સૂત્રો દ્વારા રેલી યોજવામાં આવી.જેમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.

આ રેલી વાંકાનેરના મુખ્ય વિસ્તારમાંથી પસાર થઈ હતી અને આગામી ચૂંટણી માટે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન કરે તે માટે સૂત્રોચ્ચાર કર્યા . આ રેલી વાંકાનેરમાં વિવેકાનંદ સ્ટેચ્યુથી શરૂ થઈ કોલેજ , બસસ્ટેન્ડ, મનમંદિર જેવા મુખ્ય રોડ પરથી પસાર થઈ હતી. અને આગામી ચૂંટણી માટે લોકોમાં જાગૃતિ આવે તે માટે શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલય ની બહેનો દ્વારા વિશેષ પ્રયોગ કરી મતદાનના શ્લોગ્ન સાથે મહેંદી સ્પર્ધા પણ યોજી હતી અને મતદાન જાગૃતિ લાવવા પ્રયત્નો કરવામાં આવ્યાં હતા.

આ સમાચારને શેર કરો