Placeholder canvas

વાંકાનેર: તાલુકા પંચાયતની પંચાસીયા સીટના મતદારો હવે ગુલમહંમદભાઇને ગુમાવવા નથી માંગતા..

વાંકાનેર તાલુકા પંચાયતની પંચાસીયા સીટના મતદારો હવે જાગૃત થઈ ગયા છે, અગાઉ જે થયું તે પણ હવે આ વખતે તેઓ ગુલમહમદભાઇને ગુમાવવા માગતા ન હોય એવું લાગે છે.

આ સીટમાં વાંકીયા એ ગુલમહમદભાઇની કર્મભૂમિ છે, ત્યાંથી તો તેમને ખોબલે ને ધોબલે હંમેશા મત મળતા રહ્યા છે. પંચાસીયાના મતદારો પણ ભૂતકાળને ભૂલીને આ વખતે કોઈ ભૂલ કરવા ન માગતા હોય તેવું દેખાય છે.

આ સીટ પરના ઉમેદવાર એટલે કે ગુલમહમદભાઈના પુત્ર વધુના ચૂંટણી પ્રચારની કોઈપણ મિટિંગમાં ભારે જનમેદની ઊમટી પડે છે. આ મેદનીને જોઇને આગેવાનો અને કાર્યકરોમાં ભારે જોશ આવી ગયું છે. તેઓએ હવે રાણેકપર ગામમાં પણ ચૂંટણી પ્રચારનું જોર વધાર્યું છે.

આ વખતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમગ્ર વાંકાનેર તાલુકાનું ધ્યાન પંચાસીયા તાલુકા પંચાયતની સીટ ઉપર મંડરાયેલુ છે. હાલમાં આ સીટમાં ભાજપના ઉમેદવારને ખૂબ સારું સમર્થન મળી રહ્યું છે.

આ સમાચારને શેર કરો