વાંકાનેર: વીશીપરામાં પરિણીતાને પેટમાં દુઃખાવો ઉપડ્યો, સારવાર દરમિયાન મોત.
વાંકાનેર શહેરના વીશીપરામાં આવેલ શંકર ભગવાનના મંદિર પાસે અમદાવાદના રહેવાસી હિરલબેન ભરતકુમાર ડાભી (ઉ.વ. 39) નામની પરિણીતાને અચાનક પેટમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક સારવાર અર્થે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થતાં આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી નિયમાનુસાર કાર્યવાહી કરી છે…