Placeholder canvas

વાંકાનેર: વિનુભાઈ કટારિયાના માતૃશ્રી સરસ્વતીબેનનું નિધન

વાંકાનેરના રઘુવંશી અગ્રણી અને રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી વિનુભાઈ કટારિયાના માતા સરસ્વતીબેન પ્રભુલાલ કટારીયા (ઉ.વ. 87) નું નિધન થયું છે.

સ્વ.સરસ્વતીબેન વાંકાનેરમાં વિશ્વકર્મા મહિલા મંડળ સહિત જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેનું ધાર્મિક અને પરોપકારી જીવન જીવી બે પુત્રો અને ત્રણ દીકરીઓ સહિતના પરિવારને છોડી ગયા છે, સ્વર્ગસ્થની અંતિમ યાત્રામાં પણ વાંકાનેર રઘુવંશી સમાજ અને જુદીજુદી સંસ્થા અને જ્ઞાતિના અગ્રણીઓ જોડાયા હતા.

સરસ્વતીબેન કટારીયાનુ બેસણું તારીખ 16/7/21 ને શુક્રવારે સાંજે 4થી6 વાગ્યા દરમ્યાન શ્રી લોહાણા મહાજન વાડી દિવાનપરા વાંકાનેર ખાતે રાખેલ છે . વિનુભાઈ કટારીયા મો.94269 15111

આ સમાચારને શેર કરો