Placeholder canvas

વાંકાનેર: વૈદિક ગણિત અને સંસ્કૃતિ જ્ઞાનપ્રશ્ન મંચમાં વિધા ભારતીની ટીમે દ્વિતીય સ્થાન મેળવ્યુ…

ગુજરાત પ્રાંત આયોજિત વૈદિક ગણિત અને સંસ્કૃતિ જ્ઞાનપ્રશ્ન મંચ 11 -9 -2022 ના રોજ કરમસદ મુકામે યોજાયો હતો જેમાં રાજકોટ વિભાગમાંથી અને વાંકાનેર સ્થાનેથી ત્રણ ટીમ પ્રાંત કક્ષાએ પ્રશ્નમંચ માટે ઉપસ્થિત રહેલ જેમાં વૈદિક પ્રશ્નમંચમાં તરુણ વિભાગની શ્રીમતી એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની વિધા ભારતી વાંકાનેરની ટીમે દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે.

જેમાં વાણેશિયા દર્શના ખોલિયા જીન્કલ અને માંડાણી હર્ષા એ ભાગ લીધેલ તેના માર્ગદર્શક તરીકે નું કાર્ય સોનલબેન ઠુંમર અને અમીષાબેન વરમોરા દ્વારા થયું હતુ વિદ્યાર્થીની બહેનો અને શિક્ષકોને પ્રાંત કક્ષાએ બીજો નંબર પ્રાપ્ત કરવા બદલ શાળા પરિવાર ટ્રસ્ટીગણ તથા પ્રધાનાચાર્ય દર્શનાબેન જાની પ્રમુખ શ્રી લલીતભાઈ મહેતા દ્વારા આ ત્રણેય વિદ્યાર્થીનીઓને તેમ જ શિક્ષકોને અભિનંદન પાઠવ્યાં હતા.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ
આ સમાચારને શેર કરો