વાંકાનેર: મતદાર જાગૃતિ માટે વિધા ભારતીના વિદ્યાર્થીઓની રેલી…
વાંકાનેર: લોકશાહી પર્વ વિધાનસભા ચૂંટણી 2022 માટે 67 વાંકાનેરના મતદાર જાગૃતિ અંતર્ગત વિધા ભારતીના ધોરણ પાંચ થી બારના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને ટ્રસ્ટી અને સ્ટાફની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિના ચિત્રો, સૂત્રો સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.
આ રેલી વાંકાનેરના આરોગ્યનગર દિવાનપરા , માર્કેટચોક, કુંભાર પરા, ભરવાડપરા આંબેડકરનગર જેવા મુખ્ય વિસ્તારમાંથી પસાર થઈ હતી અને આગામી ચૂંટણી માટે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ મતદાન કરે તે માટે પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.